Sabarkantha News : સાબરકાંઠના હિમતનગર સિવિલમા દર્દીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. સિવિલમાં TB ના દર્દીએ ગળેફાંસો ખાતા ચકચાર મચી ગયો છે. 45 વર્ષીય કરસન ઠાકરડા નામના TB દર્દીનો બારીના સળિયા સાથે મફલર બાંધી આપધાત કર્યો છે.સમગ્ર બનાવની જાણ કરતા પરિવારજનોને સિવિલ દોડી આવ્યા હતી.
મળતી માહિતી મુજબ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી એડમિટ 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. આ દર્દી મૂળ માલપુર(Malpur)નો વતની હતો અને સિવિલ હોસ્પિટલના TB વોર્ડમાં દાખલ થયો હતો. ટીબી(TB)ની બિમારીથી કંટાળીને સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઇ જીવન અંત આણ્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસ: નિકિતા સિંઘાનિયાને 3 દિવસમાં હાજર થવા નોટિસ
આ પણ વાંચો: મજબૂત પુરાવા હોય તો જ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવી શકાય: સુપ્રીમ કોર્ટ
આ પણ વાંચો: રાજકોટમાં જામકંડોરણામાં શ્રમિક કુટુંબની સામૂહિક આત્મહત્યા
