ધર્મ/ આજે પુષ્ય નક્ષત્ર ખરીદી માટે અત્યંત શુભ, જાણો મુહૂર્ત સહિતની તમામ વિગતો

  આજે એટલે કે 18 ઓક્ટોબરે ખરીદી માટે ઉત્તમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ નક્ષત્ર 18 ઓક્ટોબર આખો દિવસ અને 19 ઓક્ટોબરે સવારે 8:02 વાગ્યા સુધી છે.

Gujarat Dharma & Bhakti
3 33 આજે પુષ્ય નક્ષત્ર ખરીદી માટે અત્યંત શુભ, જાણો મુહૂર્ત સહિતની તમામ વિગતો
  • આજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ
  • સોના ચાંદી ઘરેણાં સહિતની ખરીદી શુભ મનાય છે
  • આજના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે
  • નવા ચોપડા, ઘરેણાની ખરીદી કરવા ઉત્તમ દિવસ
  • સોના ચાંદી ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત
  • આજના દિવસે મહાલક્ષ્મીની સાધના કરવામાં આવે છે
  • આજે સવારે 5:15 થી લઈને આખો દીવસ શુભ
  • અમદાવાદમાં લોકો સોનું ચાંદી ખરીદવા ઉમટશે

  આજે એટલે કે 18 ઓક્ટોબરે ખરીદી માટે ઉત્તમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ નક્ષત્ર 18 ઓક્ટોબર આખો દિવસ અને 19 ઓક્ટોબરે સવારે 8:02 વાગ્યા સુધી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દિવસે કરેલી સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રનો દેવતા ગુરુ છે અને કોઈ પણ શુભ કાર્ય ગુરુ વગર શક્ય નથી. આ નક્ષત્રનો સ્વામી શનિ છે અને શનિ એટલે સ્થિરતા માનવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્યો અને ખરીદી લાંબા સમય સુધી સ્થિર રહે છે.આજના દિવસે સોનાચાંદીના ઘરેણાની ખરીદીને શુભ માનવામાં આવે છે અને ચોપડા પણ ખરીદવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. આજના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે,આજે લોકો ઘરેણા ખરીદવા બજારમાં ઉમટી પડશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાં કરેલ કાર્ય ફળદાયી છે.પુષ્ય નક્ષત્ર 18 ઓક્ટોબરના રોજ સવારે 04:25 થી 19 ઓક્ટોબરની સવારે 8:02 સુધી રહેશે. આ દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ રહેશે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ દિવસે વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે સિદ્ધ અને સાધ્ય નામના અન્ય બે શુભ યોગ પણ આ દિવસે રહેશે.

પુષ્ય નક્ષત્રની આ વર્ષની પહેલી વિશેષતા એ છે કે તે મંગળવારે આવે છે. મંગળ એટલે મંગળકારી, આ દિવસે કોઈ પણ કાર્ય શરુ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મંગળવારે સોના-ચાંદીની ખરીદીથી સમગ્ર વર્ષ દરમિયાન શુભ ફળ મળશે. બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે આ દિવસે શુક્ર ગ્રહ કન્યા રાશિ છોડીને પોતાની રાશિ તુલામાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્ર વૈભવનો કારક ગણવામાં આવે છે. તેથી આ જ દિવસે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવશે.

પુષ્ય નક્ષત્ર દિવેસે આ કામ કરો  ?
18 ઓક્ટોબર મંગળવારે પુષ્ય નક્ષત્રના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારના દિવસે તમે ઘર, સોના-ચાંદી, સોફા-વાહન જેવા સામાન ખરીદી શકો છો.

-આ શુભ યોગમાં રોકાણ કરવાથી ધનમાં વધારો થાય છે.

-આ દિવસે શુભ મુહૂર્તમાં મકાન, વાહન, જમીન, ઝવેરાત અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી શ્રેષ્ઠ છે.

-શુભ યોગમાં ખરીદેલી વસ્તુઓ લાંબો સમય ચાલે છે અને શુભ ફળ આપે છે.

-આ શુભ યોગમાં ટુ-વ્હીલર અને 4 વ્હીલર પણ ખરીદી શકાય છે.

-આ સિવાય પુષ્ય નક્ષત્રમાં પૂજા સામગ્રી, ચાંદી કે ઘરેણાં, વાસણો, શુભ સંકેતો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

-આ દિવસે હીરા, પોખરાજ, નીલમ, મોતી વગેરે જેવા રત્નો ખરીદવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થાય છે.

-આ વિશેષ યોગમાં ઘર, પ્લોટ અને ફ્લેટ ખરીદવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

-પુષ્ય નક્ષત્રમાં શ્રીસૂક્તનો 108 વાર પાઠ કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સાથે જ સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે.

-પુષ્ય નક્ષત્રમાં શિવ પરિવારની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી લગ્નજીવન સુખી બને છે.

-એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં કન્યાઓને લાડુનું વિતરણ કરવાથી લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે.

ખરીદીના શુભ મુહૂર્ત
સવારે 08:18 am – 09:15 am
-સવારે 09:15 am – 10:12 am
-બપોરે 12:06 – 01:03 વાગ્યા સુધી
-બપોરે 03:54 pm – 04:52 pm
-સાંજે 06:52 – સાંજે 07:55 સુધી
-રાતે 08:57 -10:00 વાગ્યા સુધી.