@રવિ ખખ્ખર, મંતવ્ય ન્યૂઝ – ગીર સોમનાથ
ગીર સોમનાથની એક યુવતીનાં પ્રેમ સંબંધની તેના પરીવારજનોને જાણ થઈ ગઈ હતી. જેને લઈ પરીવાર દ્વારા યુવતીને ઠપકો આપવાની સાથે વારંવાર ટોક ટોક કરી રહેલ હોવાથી કંટાળી ગયેલી યુવતી આત્મહત્યા કરવાના ચકરાવે ચડી ગઈ હતી. આ યુવતીનું 181 અભયમની ટીમે કાઉન્સિલિંગ કરી પરીવારજનો સાથે વાતચીત કરી નવજીવન જીવવાની રાહ બતાવી આત્મહત્યાનાં વિચારથી મુક્ત કરી હતી.
રાજકારણ / PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા તાલુકાની યુવતીનાં પ્રેમ સંબંધની જાણ તેમના પરીવારજનોને થતાં તેઓ દ્વારા ઠપકો આપવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. આ બાબતે 181 અભયમ ટીમની મદદ લેવા અર્થે યુવતિ વેરાવળ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવી પહોંચેલી હતી. અભિયમનાં સ્ટાફ એ યુવતી પાસેથી વિગતો પૂછતાં તેણે જણાવેલ કે, તેણી થોડા દિવસ પહેલા બજારમા શ્રીફળ લેવા ગઇ હતી ત્યારે તેના બોય ફ્રેન્ડને મળવા માટે પણ ગયેલી હતી. તે વાતની જાણ તેના પરિવારજનોને થતા આ બાબતે ઠપકો આપેલો હતો અને બોયફ્રેન્ડ સાથે સબંધ નહિ રાખવા વારંવાર ટોકતા હતા. જેથી તેણી (યુવતી) કંટાળી ગયેલી હોવાથી આત્મહત્યા કરી લેવાનો વિચારો આવેલો હોવાનું યુવતીએ જણાવ્યુ હતું.
સામુહિક મોતની છલાંગ / ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું
જેથી અભિયમનાં સ્ટાફ દ્વારા યુવતીનાં માતા-પિતાને અત્રે બોલાવેલ હતા. ત્યારબાદ સ્ટાફ દ્વારા પિડીત યુવતી અને તેણીનાં માતા-પિતાનું કાઉંસિલીંગ કરી કાયદાકીય સમજણ આપેલ હતી. અને સાથે યુવતીને પણ સમજાવી ગામનાં આગેવાનો સાથે પણ વાતચીત બાદ યુવતી અને તેના પરિવારજનોને સમજાવી સમાધાન કરાવતા યુવતી આત્મહત્યાનાં વિચારમાંથી મુક્ત કરી જીંદગી જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલુ હતું.