સુરેન્દ્રનગર.
વિશ્વ વિખ્યાત સુરેન્દ્રનગર ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ તા. 12 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 10-00 કલાકે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનાં શિવપૂજનથી થશે. આ પ્રસંગે રાજયનાં પ્રવાસન, વન અને મહિલા બાળ તથા કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા દિપ પ્રાગટય કરીને મેળો ખુલ્લો મુકશે.
![કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી 2 1518850593 dpg 4430 copy કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/1518850593-dpg_4430-copy.jpg)
મંત્રીશ્રીનાં હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાથા અને લોકકલા-સંસ્કૃતિની ઝાંખી કરાવતી સુંદર તસ્વીરી પ્રદર્શન કરાવવામાં આવશે. ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉદ્દઘાટન કરવામાં આવશે તથા રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં રાવટીનાં કલાકારો ભજન-સંધ્યા અર્પણ કરશે.
![કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી 3 tarnetar 030913 inner4 કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/tarnetar-030913-inner4.jpg)
તા. 13 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 10:25 કલાકે પાળીયાદનાં પૂ. વિસામણ બાપુની જગ્યાનાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે. રાત્રે 9:30 કલાકે પંચાયતનાં સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
![કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી 4 24046360c530f8f68d6233c53009d60e1475097392 કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/24046360c530f8f68d6233c53009d60e1475097392.jpg)
તા. 14 મી સપ્ટેમ્બરનાં રોજ સાંજે 5:00 કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાઈકલીંગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
![કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી 5 tarnetarmela કાલથી વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાનો થશે પ્રારંભ, વિગતવાર જાણો સમયસારણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/tarnetarmela.jpg)
તા. 14 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 11:00 કલાકે રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત પણ રહેશે.