અકસ્માત/ સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું કરુણ મોત

સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત નિપજ્યું છે.ઉલ્લેખનીય છે કે, લીંબડી- રાજકોટ હાઇવે પર ચોટીલા દર્શન કરવા જઇ રહેલા પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતા પદયાત્રીનું ઘટના સ્થળે મોત થયું છે.

Gujarat Others
મોત
  • અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત
  • લીંબડી- રાજકોટ હાઇવે પરની ઘટના
  • પદયાત્રી ચોટીલા દર્શનાર્થે જઇ રહ્યા હતા
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. કોઈ બીજાની બેદરકારીનો માસૂમ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત નિપજ્યું છે.ઉલ્લેખનીય છે કે, લીંબડી- રાજકોટ હાઇવે પર ચોટીલા દર્શન કરવા જઇ રહેલા પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતા પદયાત્રીનું ઘટના સ્થળે મોત થયું છે.ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે.

અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીથી અંદાજે ૩૦ વ્યક્તિનો સંઘ ચાલીને ચોટીલા જઈ રહ્યો હતો.

ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો:ક્વીન એલિઝાબેથ સાથે સીન શૂટ કરવા માટે કમલ હાસને ખર્ચ્યા હતા આટલા કરોડ, જાણો કેમ રિલીઝ ન થઈ ફિલ્મ

આ પણ વાંચો:મહારાણી એલિઝાબેથ કેટલો અભ્યાસ કર્યો હતો ?

આ પણ વાંચો:માનવ વિકાસ સૂચકાંકમાં ભારત આ ક્રમે પહોંચ્યુ,જાણો