Madhya Pradesh News: મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) સોમનાથ એક્સપ્રેસના (Somnath Express) બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની માહિતી મળી છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, તેના બે કોચ જે શરૂઆતમાં જોડાયેલા હતા તે પાટા પરથી ઉતરી ગયા હતા. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે અને પોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે.

વેસ્ટ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, “ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. સોમનાથ એક્સપ્રેસ જ્યારે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી, ત્યારે ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે સવારે 5.50 વાગ્યે તે પ્લેટફોર્મથી લગભગ 150 મીટર દૂર પાટા પરથી ઉતરી ગયા હતા.
આ પણ વાંચો:કાનપુરમાં ટ્રેન અકસ્માત, સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રાહત અને બચાવ કાર્ય ચાલુ
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:ઝારખંડમાં રેલ દુર્ઘટનામાં 20 ડબ્બા પાટા પરથી ઉતરતા 2નાં મોત
