Rajkot News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં SIT, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાયા બાદ સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ મનપાના વધુ બે અધિકારીઓની ધરપકડ કરાઈ છે. TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવાના કેસમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગ્નિકાંડમાં લોકોના મોત થવા મામલે SITને તપાસ સોંપવામાં આવી છે. તેમજ સરકાર પોતે જ ફરિયાદ બનતા હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ
આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો