વિવાદ/ આદિત્ય નારાયણના બચાવમાં આવ્યા પિતા, કહ્યું – આખા શોમાં કોઇએ કઇં ન કહ્યું એટલે……..

છેલ્લા કેટલાક દિવસોથી સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 ઘણા વિવાદોમાં રહ્યો છે. આ શોના કિશોર કુમાર સ્પેશિયસલ એપિસોડમાં તેમના દીકરા અમિત કુમાર મહેમાન બનીને આવ્યા હતા.

Entertainment
A 353 આદિત્ય નારાયણના બચાવમાં આવ્યા પિતા, કહ્યું - આખા શોમાં કોઇએ કઇં ન કહ્યું એટલે........

છેલ્લા કેટલાક દિવસોથી સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 ઘણા વિવાદોમાં રહ્યો છે. આ શોના કિશોર કુમાર સ્પેશિયસલ એપિસોડમાં તેમના દીકરા અમિત કુમાર મહેમાન બનીને આવ્યા હતા. એપિસોડ ઓન-એર થયા બાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે, મેકર્સે તેમને કન્ટેસ્ટન્ટ્સના વખાણ કરવાનું કહ્યું હતું. બાદમાં શોના હોસ્ટ આદિત્ય નારાયણે લેટેસ્ટ એપિસોડમાં મહેમાન બનેલા કુમાર સાનુને સવાલ પૂછીને અમિત કુમારની મજાક ઉડાવી હતી. આ મુદ્દા પર સિંગર અને આદિત્યના પિતા ઉદિત નારાયણની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉદિત નારાયણે કહ્યું કે, આદિત્યની અંદર આજે પણ બાળપણ છે આજ કારણ છે કે, તે અન્ય લોકોની જેમ ચૂપ નથી રહી શકતો. આજ કારણ છે કે, આખો વિવાદ તેની ઉપર આવી ગયો છે. ઉદિત નારાયણે દીકરાનાં બચાવમાં કહ્યું કે, આદિત્યની અંદર હજુ પણ બાળપણ છે અને તે ઘણો જ ઇમોશનલ માણસ છે. એવામાં શો સાથે જોડાયેલાં હોવાને કારણે તે ઘણો સેન્સીટીવ થઇ ગયો છે. જ્યારે આખા શોમાં કોઇએ કઇં ન કહ્યું પણ હવે આખો વિવાદ આદિત્ય પર આવી ગયો છે.

iam gujarat આદિત્ય નારાયણના બચાવમાં આવ્યા પિતા, કહ્યું - આખા શોમાં કોઇએ કઇં ન કહ્યું એટલે........

 આદિત્ય શોનો માત્ર એન્કર છે. તો વિવાદ આખો તેનાં ઉપર ઢોળવો યોગ્ય નથી. કારણ કે તેની કોઇ ભૂલ નથી. મને લાગે છે કે, શોનાં મુખ્ય લોકોએ આ મુદ્દે વાત કરવી જોઇએ. પણ તેમણે એન્કરને કેમ સામે મુકયો. આ સમયે સૌએ તેને સાથ આપવો જોઇએ. હું પણ હાલમાં તેને કઇં જ નથી કહી રહ્યો. કારણ કે પહેલેથી જ લોકોએ તેને નિશાને લઇ લીધો છે.

Instagram will load in the frontend.

ઉદિત નારાયણે વધુમાં કહ્યું કે, ‘આદિત્ય મારી સાથે આ વિશે વાત કરવા આવ્યો હતો. પરંતુ મેં તેને કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે મારા મનમાં તે વાત ચાલી રહી હતી કે, આ જે પ્લેટફોર્મ છે ત્યાં મુખ્ય લોકોએ આવીને વાત કરવી જોઈતી હતી. એન્કરને કેમ સામે લાવીને રાખી દીધો? આમાં બધાએ આદિત્યને સાથ આપવો જોઈતો હતો. હું એટલા માટે તેને અત્યારે કંઈ કહી રહ્યો નથી કારણ કે, પહેલાથી લોકો તેના પર તૂટી પડ્યા છે અને મારા કહેવા પર તે ક્યાંક ડિપ્રેશનમાં ન આવી જાય. જો કે, જ્યારે વિવાદ ખતમ થઈ જશે ત્યારે હું તેને કહીશ કે બધા લોકોએ પોતાનો બચાવ કરી લીધો પરંતુ તું કેમ ફસાઈ ગયો?’.

અમિત કુમારના નિવેદન પર ઉદિત નારાયણે કહ્યું કે, ‘મેં અમિત કુમારવાળો એપિસોડ જોયો હતો અને મને તેમા તેઓ એન્જોય કરતા જોવા મળ્યા હતા. જ્યારે તમે શો પર આવવા માટે તૈયાર થઈ ગયા હતા તો બાદમાં તમારે આવી વાત ન કહેવી જોઈએ. જો હવે મેં આ વાત કહી દીધી છે તો ક્યાંક મને પણ આદિત્યની જેમ તેમાં ખેંચી લેવામાં ન આવે’. ઉદિતે તેમ પણ કહ્યું કે, તેઓ અમિત કુમારને સારી રીતે ઓળખે છે અને ભાઈની જેમ માને છે. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દા પર અમિત કુમાર સાથે પણ વાત કરશે.

શું તો આખો વિવાદ?

શોનાં મેકર્સે કિશોર કુમાર પર એક ખાસ એપિસોડ તૈયાર કર્યેા હતો. જેમાં આ મહાન ગાયકનાં દીકરા અમિત કુમારને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. બાદમાં અમિતે શો મેકર્સની પોલ ખોલી દીધી અને કહ્યું કે, તેને શોનાં સ્પર્ધકોનાં વખાણ કરવાં માટે કહેવામાં આવ્યં હતું. જ્યારે મને કોઇની પણ ગમે તેવી પરફોર્મન્સ પસદં આવી ન હતી. લેટેસ્ટ એપિસોડમાં કુમાર સાનૂ અને અનુરાધા પોડવાલ મહેમાન તરીકે આવ્યા હતાં. શો દરમિયાન યારે કુમાર સાનૂ એક સ્પર્ધકનાં વખાણ કરતો હતો ત્યારે આદિત્યએ તેને સવાલ કયો હતો કે, શું તમને શોનાં મેકર્સ તરફથી સ્પર્ધકોનાં વખાણ કરવાં તો નથી કહેવામાં આવ્યું ને? ત્યારે કુમાર સાનૂએ ના પાડી હતી અને કહ્યું હતું કે, આ સ્પર્ધકો ખરેખરમાં ઘણાં જ પ્રતિભાશાળી છે.. તેમનાં વખાણ હું દિલથી કરી રહ્યો છું. જોકે, આ બાદ આદિત્ય નારાયણ સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ થયો છે.

majboor str 20 આદિત્ય નારાયણના બચાવમાં આવ્યા પિતા, કહ્યું - આખા શોમાં કોઇએ કઇં ન કહ્યું એટલે........