New Delhi News: સામાન્ય રીતે સાયબર ગુનેગારો (Cyber Criminals) લોકોને અલગ અલગ રીતે પોતાનો શિકાર બનાવતા હોય છે અને લોકોને છેતરતા હોય છે. કેટલાય સાયબર ફ્રોડમાં તો લોકોની જીવનભરની કમાણી લૂંટાઈ જાય છે. કેટલાક સેક્સ્ટોર્શન (Sextortion) કેસમાં ભોગ બનનાર આત્મહત્યા પણ કરી લેતો હોય છે. સરકારે લોકોને આ સમસ્યાથી બચાવવા બે સર્વિસ પણ લોન્ચ કરી છે.

સોમવારે આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. તેમણે બે પ્લેટફોર્મ વિશે માહિતગાર કર્યા હતા. Digital Intelligence Platform અને Chakshu.

DIPની મદદથી ગુનેગારોને ટેલિકોમ્યુનિકેશન ટેક.નો દુરૂપયોગ કરવાથી અટકાવી શકાશે. જ્યારે Chakshu (ચક્ષુ)ને સંચાર સાથી પોર્ટલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. બંનેની મદદથી સાયબર ગુનાઓ પર અંકુશ લગાવવામાં મદદ થશે.

DIP પ્લેટફોર્મને કમ્યુનિકેશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એક સિક્યોર અને ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ છે. તે સાચા સમયની માહિતી પ્રદાન કરશે અને બીજા પ્લેટફોર્મ સાથે કનેક્ટ થશે. જેમકે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર, બેંક અને ફાઈનાન્સીયલ સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડોક્યુમેન્ટ ઓથોરિટીને પણ સૂચના આપશે.
ચક્ષુને સંચાર સાથી પોર્ટલ પર લોન્ચ કરાયું છે. જે સામાન્ય લોકોને સુવિધા આપશે જેમકે, કમ્યુનિકેશન અને શંકાસ્પદ માહિતી આપશે. ફોન કો, SMS, વ્હોટસએપ દ્વારા ઠગાઈ થતી હોય છે. તો તેની જાણકારી પણ Chakshu આપશે. સંચાર સાથી પોર્ટલને 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે વપરાશકર્તાઓને સુવિધા આપે છે કે ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઈલની ફરિયાદ નોંધાવી શકાય અને તેને બ્લોક કરી શકાય.
આ પણ વાંચો :સુરતમાં ABVPના કાર્યકરોનું વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો :જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ
આ પણ વાંચો :વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો
