કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. નોંધનીય છે કે સ્મૃતિ ઈરાની દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક ચૂંટણી સભામાં ભાગ લેવા જવાના હતા પરંતુ તે પહેલા જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમણે ત્યાંના લોકોની માફી માંગી અને કહ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેથી હું કાર્યક્રમમાં હાજરી આપી શકીશ નહીં.
દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભાની પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થવાનું છે. સ્મૃતિ ઈરાની રવિવારે ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં ચૂંટણી સભામાં ભાગ લેવાના હતા. તેમનો કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેમણે ટ્વિટ કર્યું કે તે કોરોના સંક્રમિત થઈ ગઈ છે. જેના કારણે તેઓ ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં.
राजेंद्र नगर में आयोजित कार्यक्रम में सम्मिलित नहीं हो पाने के लिए मैं वहाँ के नागरिकों से क्षमा चाहती हूँ, क्योंकि मेरी कोरोना रिपोर्ट पॉजिटिव आई है।
मैं राजेंद्र नगर के लोगों से @rajeshbhatiabjp जी को वोट देने और @BJP4Delhi को जिताने की अपील करती हूँ। https://t.co/nawn5XTBbu
— Smriti Z Irani (@smritiirani) June 19, 2022
સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ એવા સમયે પોઝિટિવ આવ્યો છે જ્યારે તે રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે આવવાની હતી. જોકે, કાર્યક્રમમાં ન આવવા બદલ તેમણે રાજેન્દ્ર નગરના લોકોની માફી માંગી હત
આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પછી તેમણે કહ્યું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે માટે મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું.