સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યુનિટેકના ભૂતપૂર્વ પ્રમોટર્સ સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને દિલ્હીની તિહાડ જેલમાંથી મુંબઈની આર્થર રોડ જેલ અને તલોજા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. તિહાર જેલના અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી.આ વાતની પુષ્ટિ કરતા ડિરેક્ટર જનરલ (જેલ) સંદીપ ગોયલે જણાવ્યું કે ચંદ્રા બંધુઓને શનિવારે મુંબઈની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોયલે જણાવ્યું હતું કે સંજય અને અજય ચંદ્રા બંનેને શનિવારે સવારે કડક પોલીસ સુરક્ષા હેઠળ ટ્રેન દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. તેઓ મુંબઈ પહોંચ્યા અને રવિવારે વહેલી સવારે ત્યાંની જેલમાં મોકલવામાં આવ્યા.
Former Unitech promoters Sanjay Chandra and Ajay Chandra have been shifted from Delhi’s Tihar Jail to Arthur Road Jail and Taloja Central Jail in Mumbai as per a court order: Director-General, Tihar Jail
— ANI (@ANI) August 29, 2021
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે કહ્યું હતું કે, સંજય અને અજયની વર્તણૂક અને જેલના અધિકારીઓની સંડોવણી અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સુપરત કરાયેલા બે અહેવાલોએ આદેશોના ઉલ્લંઘન અને કોર્ટના અધિકારક્ષેત્રને હળવો કરવા અંગે “ગંભીર અને ચિંતાજનક મુદ્દાઓ” ઉઠાવ્યા હતા.
બેન્ચે તેમના આદેશમાં કહ્યું કે, આ સંજોગોમાં અમે બંને આરોપીઓ – અજય ચંદ્રા અને સંજય ચંદ્રા – ને તિહાડ જેલમાંથી આર્થર રોડ જેલ, મુંબઈ અને તલોજા સેન્ટ્રલ જેલ, મુંબઈમાં ખસેડવાનો નિર્દેશ આપીએ છીએ.કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ચંદ્રા બંધુઓ સાથેની મિલીભગતના મામલામાં તિહાર જેલના અધિકારીઓની વર્તણૂકની તાત્કાલિક વ્યક્તિગત તપાસ શરૂ કરવા અને ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.