ઉત્તર પ્રદેશનાં ફતેહપુર જિલ્લામાં ‘ઉન્નાવ કાંડ’ ફરી એકવાર પુનરાવર્તિત થયું છે. અહીં કળીયુગી કાકાએ દુષ્કર્મ બાદ તેની ભત્રીજીને જીવતી સળગાવી દીધી હતી. મળી રહેલી માહિતી અનુસાર કાકાએ પહેલા તેના પર દુષ્કર્મ ગુજાર્યો. જે બાદ પીડિતાએ પરિવાર અને પોલીસને આ ઘટના વિશે જણાવવાની વાત કરી, તો આરોપી તેને ખેંચીને ઓરડામાં લઇ ગયો અને ત્યાં તેના પર કેરોસીન નાખી જીવતી સળગાવી દીધી હતી. 90 ટકા દાઝી ગયેલી કિશોરીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીંથી તેને ગંભીર હાલતમાં કાનપુરનાં હૈલટ હોસ્પિટલમાં રિફર કરાઈ છે.
મળતી માહિતી મુજબ, આ કેસ ફતેહપુરનાં હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામનો છે. ગામની રહેવાસી ઘરે એકલી હતી, પરિવારનાં બધા સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતા. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધમાં 22 વર્ષીય કાકાએ તેના ઘરે પ્રવેશ કર્યો હતો અને દુષ્કર્મ ગુજાર્યો હતો. પીડિતાનાં નિવેદન મુજબ, ઘટનાને અંજામ આપ્યા પછી, તેણે પરિવાર અને પોલીસને કહેવાનું કહ્યું. તે બાદ આરોપીએ તેને ઓરડામાં ખેંચીને લઇ ગયો અને ત્યાં કેરોસીનનાં ગેલન તેના પર નાખીને આગ ચાંપી દીધી અને ત્યારબાદ તે ઘરેથી ભાગી ગયો હતો.
પડોશીએ જ્યારે કિશોરીને આગમાં સળગતા જોઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. જાણકારી પર પહોચી પોલીસે તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. વળી પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર હોવાથી ડોકટરોએ તેને કાનપુર રિફર કરેલ છે. વળી ઘટનાની માહિતી મળતાં પોલીસ-વહીવટીતંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું. ડીએમ સંજીવ સિંહ અને એસપી પ્રશાંત વર્મા પીડિતાનો ઉલ્લેખ કર્યા બાદ તેમના ગામ પહોંચ્યા હતા. તેમણે ગામનાં લોકો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી અને પરિવારને ખાતરી આપી હતી કે આરોપીને કડક સજા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.