સપાએ શુક્રવારે માંગ કરી હતી કે ઉત્તરપ્રદેશની સમયાંતરે બગડતી ન્યાય વ્યવસ્થા ખાસ કરીને ઉન્નાવ બળાત્કાર પ્રકરણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઇએ. સપા અધ્યક્ષ કિરનામય નંદાએ પત્રકારોને કહ્યું હતું કે, “આ (યોગી) સરકાર એક દિવસ પણ ન રહેવી જોઈએ. અનુચ્છેદ 365 લાગુ કરી દેવું જોઈએ અને પ્રદેશમાં રાષ્તાર્પતી શાસન લગાવી દેવું જોઈએ.”
તેમને જણાવ્યું હતું કે પુરા દેશે જોયું છે કે પીડિતાના પિતાને નિર્દયી રીતે મારવામાં આવ્યા છે. પોલીસ કહી રહી છે કે કોઈ સબુત છે જ નહિ. એવા પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
નંદાએ દાવો કર્યો હતો કે ન્યાય વ્યવસ્થાની વ્યવસ્થા બગડી ગઈ છે. મહિલાઓ સામે અપરાધ વધી રહ્યા છે, અને પ્રશાસન તેને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે.
ત્યાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની વહુ અર્પણ યાદવે કીધું હતું કે ઉત્તરપ્રદેશમાં “બેટી બચાવો બેટી પઢાઓ” નો નારો અર્થહીન થઇ ગયો છે. તેમને જણાવ્યું હતું કે જો કોઈ વિધાયક, સાંસદ અથવા સરકારી અધિકારી વિરુદ્ધ કોઈ પીડિત મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવે તો, સામાન્ય માણસના કિસ્સામાં, તેની વિરુદ્ધની કાર્યવાહી એ જ રીતે થવી જોઈએ જે રીતે પુરુષ સાથે થવી જોઈએ.