Supreme Court/ સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે પાંચ હાઈકોર્ટના જજોના નામની ભલામણ કરી હતી

Top Stories India
7 10 સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે પાંચ હાઈકોર્ટના જજોના નામની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે જે પાંચ જજોની ભલામણ કરવામાં આવી છે તેમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પીવી સંજય કુમારના નામ છે. પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ દીપાંકર દત્તાના નામને મંજૂરી આપી હતી. આ મંજૂરી બાદ, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળના છ સભ્યોના કોલેજિયમે મંગળવારે પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. સોમવારે જસ્ટિસ દત્તાના શપથ ગ્રહણ સાથે, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે, જ્યાં હવે છ જગ્યાઓ ખાલી છે. કોલેજિયમે આજે આ છ જગ્યાઓ ભરવા માટે પાંચ નામોની ભલામણ કરી હતી.

નોંધનીય છે  કે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સહિત જજોના 34 મંજૂર પદો છે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની 4 જાન્યુઆરીએ નિવૃત્તિ સાથે, સંખ્યા ફરીથી ઘટીને 27 થઈ જશે. હાલમાં 28માંથી 9 જજ 2023માં નિવૃત્ત થવાના છે. જો કેન્દ્ર દ્વારા નવી ભલામણોને મંજૂરી આપવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા હાલ 33 થઈ જશે.