વલસાડ
વલસાડમા ધસમસતા નદીના પ્રવાહ વચ્ચે બાળકીની અંતીમયાત્રા કાડવામાં આવી હતી. કપરાડા તાલુકાના ઓઝરડા ગામ નજીકથી પસાર થતી દોલધા નદીમાં બે કાંઠે હોવાથી લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.
એમા પણ જ્યારે ગામમાં કોઈ મોત થાય તો દોલધા નદીના ધસમસતા પ્રવાહને જોખમ વચ્ચે અંતિમ યાત્રા કરવી પડે છે. નદીના સામા કાંઠે સ્મશાન હોવાથી શબને ટાયરની ટ્યુબ પર બાંધીને નદી પાર કરવી પડી.
બે દિવસ અગાઉ પણ ગામમાં એક બાળકીનું મોત થતા તેની અંતિમ વિધિ માટે સ્વજનોએ તરીને નદી પાર કરવી પડી હતી. બાળકીના શબને ટ્યુબ પર બાંધી નદી પાર કરવી પડી હતી. વર્ષોથી ગામલોકોની આ સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો હવે જોવાનુંએ છે કે તંત્ર ક્યારે જાગે છે.