નિધન/ પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું નિધન,દિલ ચાહતા હૈ સહિત અનેક હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું

વિવાહ, ધૂમ 2 અને દિલ ચાહતા હૈ જેવી ફિલ્મોમાં જેવી મહત્વની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા યુસુફ હુસૈનનું શુક્રવારે અવસાન થયું.

Entertainment
11111 1 પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું નિધન,દિલ ચાહતા હૈ સહિત અનેક હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું

વિવાહ, ધૂમ 2 અને દિલ ચાહતા હૈ જેવી ફિલ્મોમાં જેવી મહત્વની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા યુસુફ હુસૈનનું શુક્રવારે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા હંસલ મહેતા, જેઓ તેમના જમાઈ છે, તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ તેમના સસરા વિશે લખી હતી આ ઉપરાંત  મનોજ બાજપેયીએ પણ સોશિયલ મીડિયા પર પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અભિનેતા મનોજ બાજપેયીએ તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પીઢ અભિનેતાની તસવીર શેર કરીને  શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, “યુસુફ સાહેબ શાંતિથી આરામ કરો!! #SAFENA @hansalmehta.”

ફિલ્મ નિર્માત હંસલે લખ્યું, “મેં શાહિદના 2 શેડ્યૂલ પૂરા કર્યા હતા. અને અમે અટવાઈ ગયા હતા. હું પરેશાન થઈ ગયો હતો. એક ફિલ્મ નિર્માતા તરીકેની અવિદ્યમાન કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ હતી. તે મારી પાસે આવ્યા અને કહ્યું કે મારી પાસે ફિક્સ ડિપોઝિટ છે અને તે છે. જો તમે આટલા પરેશાન છો તો તમે લઇ શકો છો. તેમણે એક ચેક લખ્યો. શાહિદ પૂર્ણ થઇ. તે યુસુફ હુસૈન હતા.તે મારા સસરા નહી પરતું એક ઉમદા પિતા હતા.