ડ્રગ્સ કેસ/ આર્યન ખાન થોડીવારમાં જેલમાંથી આવશે બહાર,શાહરૂખ રિસીવ કરવા પહોચ્યા

આર્યન ખાને મુંબઈ ડ્રગ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ એક રાત વિતાવવી પડી હતી કારણ કે જામીન મળ્યા પછી પણ સમય મર્યાદામાં જેલ સત્તાવાળાઓને કાગળો મળ્યા ન હતા

Top Stories Entertainment
SSSS આર્યન ખાન થોડીવારમાં જેલમાંથી આવશે બહાર,શાહરૂખ રિસીવ કરવા પહોચ્યા

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને મુંબઈ ડ્રગ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ એક રાત વિતાવવી પડી હતી કારણ કે જામીન મળ્યા પછી પણ સમય મર્યાદામાં જેલ સત્તાવાળાઓ દ્વારા કાગળો મળ્યા ન હતા. જો કે હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આર્યન ખાન હવેથી થોડા સમયમાં જેલમાંથી બહાર આવી જશે. આર્થર રોડ જેલનું બેલ બોક્સ આજે સવારે 5.30 કલાકે કોર્ટનો આદેશ મેળવવા માટે 5.30 કલાકે ખોલવામાં આવ્યું હતું. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે જેલની ઔપચારિકતા પૂરી કર્યા બાદ આર્યન ખાનને સવારે 10 વાગ્યા સુધીમાં છોડી દેવામાં આવશે.

 

 

 

પુત્ર આર્યન ખાનની મુક્તિ પહેલા અભિનેતા શાહરૂખ ખાન બાંદ્રા સ્થિત તેના મન્નત બંગલાથી મુંબઈની આર્થર રોડ જેલ જવા રવાના થયા  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનનો કાફલો મન્નતથી જેલ જવા રવાના થયા છે, જેમાં ત્રણ એસયુવીનો સમાવેશ થાય છે.

જેલના એક સૂત્રએ જણાવ્યું હતું કે જેલની બહારનું ‘બેલ ઓર્ડર બોક્સ’ શનિવારે સવારે લગભગ 5.30 વાગ્યે ખોલવામાં આવ્યું હતું અને અધિકારીઓએ છથી સાત જામીનના ઓર્ડર લીધા હતા. તેમાં આર્યન ખાન સાથે સંબંધિત ઓર્ડર પણ હતો. તે એક કલાકમાં જેલમાંથી બહાર આવી શકે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, જેલ અધિકારીઓએ જણાવ્યું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે સવારે 10 વાગ્યે મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.

આજે આર્યનની રિલીઝને ધ્યાનમાં રાખીને શાહરૂખ ખાનના ઘર મન્નતને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના ચાહકો ગઈકાલથી ત્યાં આર્યન ખાનની રાહ જોઈ રહ્યા છે.