Rajkot News : રાજકોટના હરિહર ચોક પાસે નો વોકળાનો સ્લેબ બેસી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ સ્થિતિ એવી છે કે વોકળા નો સ્લેબ ગમે ત્યારે પડી શકે એમ છે. જે ચોકમાં સંખ્યાબધ લોકો ઉભા હોય છે, તે સ્થળ ઉપર મોટી દુર્ઘના ની સંભાવના સેવાઈ રહી છે. થોડાક મહિના પહેલા રાજકોટ ના સર્વેશ્વર ચોકમાં વોકળા પરનું સ્લેબ તૂટ્યું હતું. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે મંતવ્ય ન્યૂઝ વાત કરતા સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં વોકળા પર નો સ્લેબ ધરાશાયી થયા બાદ કોર્પોરેશને કોઈ શીખ નથી લીધ. રાજકોટ ના હરીહર ચોકમાં પણ વોકળા નો સ્લેબ ધરાશાયી થશે તો જવાબદારી કોણ લેશે. હોર્ડિંગ ના ભાર ના કારણે વોકળા નો સ્લેબ બેસી ગયો છે. હજુ પણ કેટલાક વોકળા છે જેમાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી કરાવામાં આવી.તંત્ર આવા જૂના વોકળા ને આઇડેન્ટિફાઈ કરી તેનું રીપેરીંગ કાર્ય કરવું જોઈએ.ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા કોંગ્રેસ લોકો એ તંત્ર ની કામગીરી ઉપર ઉભા કર્યા સવાલો તંત્રએ જાણે સર્વેશ્વર ચોક ની ઘટના પરથી કોઈ શીખ ન લીધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો