શિક્ષક દિન/ વિના શિક્ષક નહિ કલ્યાણ : ભાવિ પેઢીના ઘડવૈયાના ઉપકાર છે અનેક

ભૂતકાળમાં ગુરૂકુળ હતા આજે શાળા મહાશાળા અને યુનિવર્સીટીઓ થઈ,પ્રથા બદલાઈ પણ પરંપરા એજ રહી.

India Trending
શિક્ષક દિન સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.ભારતના ભાવિ નાગરિકોના ઘડતરમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા હોય છે ભારતીય સંસ્કૃતિ મુજબ શિક્ષકને ગુરૂ ગણવામાં આવે છે.આપણા દેશમાં ગુરૂ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભગવાન રામે ગુરૂ વશિષ્ટ પાસે શસ્ત્ર અને શાસ્ત્ર, તેમજ સંગીતનું જ્ઞાન લીધું હતું.ભગવાન શ્રી કૃષ્ણે ગુરૂ સાંદિપની પાસે અભ્યાસ કર્યો હતો.પહેલાના જમાનામાં ગુરૂકુળ પ્રથા હતી. હવે જમાનો બદલાયો છે. ગુરુકુલનું સ્થાન શાળાઓ અને મહા શાળાઓએ લીધું છે.પહેલાની વિદ્યાપીઠ હવે હવે યુનિવર્સિટીમાં રૂપાંતર પામી છે.હવે તો પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે બન્ને પ્રકારના શિક્ષણનો જમાનો છે.કોરોના કાળ બાદ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ પણ શરૂ થઈ છે આની સાથે શિક્ષકને આધુનિક પણ બનવું પડ્યું છે.શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ભલે પહેલા જેવા સબંધો ન હોય પણ સબંધો તો છે જ.બદલાતા યુગની સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો પણ બદલાતા રહે છે.

himmat thhakar વિના શિક્ષક નહિ કલ્યાણ : ભાવિ પેઢીના ઘડવૈયાના ઉપકાર છે અનેક

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

inflation 2 વિના શિક્ષક નહિ કલ્યાણ : ભાવિ પેઢીના ઘડવૈયાના ઉપકાર છે અનેક

તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.

એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.

inflation 3 વિના શિક્ષક નહિ કલ્યાણ : ભાવિ પેઢીના ઘડવૈયાના ઉપકાર છે અનેક

ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.

વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા હતા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.

सुभाषित -विद्या ददाति विनयम् - YouTube

આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે.

શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

વિશ્લેષણ / ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?

વિશ્લેષણ / ઘરમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવો ભાવવધારો ન હોય તે બાબતમાં રસ છે બાકી શાસક કોંગ્રેસ હોય કે ભાજપ કોઇ ફેર નથી