નંદિગ્રામના સંઘર્ષમાં રવિવારે ક્યારેક મમતા બેનર્જી તો ક્યારેક સુવેન્દુ અધિકારીનું પલડું ભારે લાગતું હતું. જોકે, ટીએમસીએ હવે અહીં મતની પુન: ગણતરીની માંગ ઉઠાવી છે. આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે, ચૂંટણીના પરિણામોથી ગુસ્સે ભરાયેલા ટીએમસી કાર્યકરોએ હલ્દિયામાં ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારના કાફલા ઉપર પથ્થરમારો કર્યો છે. ભાજપે સુવેન્દુની કાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ, ટીએમસીએ કહ્યું છે કે ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક કરી રહ્યું છે. આ બેઠક કોલકાતામાં ચાલી રહી છે. મતગણતરી અને અન્ય મુદ્દાઓને લઇને નંદિગ્રામમાં બેઠક મળી રહી છે.