અમદાવાદ માટે કોંગ્રેસે 38 ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે ખાડિયા બેઠક પર થી MLA ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે તેમની મંતવ્ય ન્યૂઝ સાથે MLA ઇમરાન ખેડાવાલાએ ખાસ વાતચીત કરી હતી.
ધારાસભ્ય પદ હોવા છતા પણ કાઉન્સિલર પદ માટે ટિકિટની માગ કરતા ઇમરાન ખેડવાલાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ત્યારે ઇમરાન ખેડાવાલાએ મંતવ્ય ન્યુઝ સાથે કરેલી ખાસ વાતચીતમાં આવું કેમ કર્યું છે તે મામલે પ્રકાશ પાડતા કહ્યું કે, ગુજરાતમાં અમદાવાદ અને અમદાવાદમાં ખાડિયા ભાજપનો ગઢ છે. જેમાં તેમના લડવાથી ગાબડું પડી શકે છે. તે માટે જ તેમણે MLA પદ્દને પણ દાવમાં લગાવતા ટિકિટની માગ કરી છે.
જોઇએ આ વિશેષ અહેવાલમાં ઇમરાન ખેડાવાલાની વાત તેની જ ઝુબાની – ક્યા ધારાસભ્યને કેમ બનવું છે કાઉન્સિલર?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…