Not Set/ આજે ભારત બંધના એલાનમાં ખેડૂતોને મળ્યો કોનો સાથ, શું રહેશે ચાલું શું રહેશે બંધ ?

ખેડુતો કૃષિ વિષયક કાયદાના વિરોધમાં ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા હતા. તેમજ ખેડૂતોની અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક બાદ પણ કોઈ પરિણામ બહાર આવ્યું

Top Stories India
Diwali 12 આજે ભારત બંધના એલાનમાં ખેડૂતોને મળ્યો કોનો સાથ, શું રહેશે ચાલું શું રહેશે બંધ ?

ખેડુતો કૃષિ વિષયક કાયદાના વિરોધમાં ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા હતા. તેમજ ખેડૂતોની અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક બાદ પણ કોઈ પરિણામ બહાર આવ્યું નથી. આવતીકાલે 9 ડિસેમ્બરે બંને પક્ષો ફરી એક વખત બેઠક કરશે, પરંતુ આ દરમિયાન આજે 8 ડિસેમ્બરે ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી ‘ભારત બંધ’ની હાકલ કરી છે. ખેડૂત આંદોલનને વિરોધી પક્ષો, ટ્રેડ યુનિયન, ઓટો અને ટેક્સી યુનિયનનું પણ સમર્થન મળી રહ્યું છે. દેશવ્યાપી હડતાલની વચ્ચે સર્વિસ સેક્ટરની સેવાઓ પર પણ અસર થવાની ધારણા છે. બંધની મહત્તમ અસર દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં જોવા મળી શકે છે. ગુજરાત સરકારે મક્કમતા દાખવી છે તેમ છતાં વિરોધ પક્ષો દ્વારા બંધના સમર્થનમાં નવાજૂની થવાની સંભાવના દર્શાવાઇ રહી છે.

ભારત બંધ / કયા પક્ષોનું ખેડુતોના ‘ભારત બંધ’ મળ્યું સમર્થન, …

ખેડૂતોના આંદોલન અંગે ગઈકાલે મીડિયા સમક્ષ ખેડૂત નેતા બલદેવસિંહ યાદવે કહ્યું, ‘અમે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે, જે સવારથી શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે. હડતાલ દરમિયાન દુકાનો અને ધંધા બંધ રહેશે. જોકે, બંધ દરમ્યાન એમ્બ્યુલન્સ સહિત અન્ય કટોકટી સેવાઓ કાર્યરત રહેશે.ભારત બંધમાં જોડાતા ઓટો અને ટેક્સી યુનિયનને કારણે દિલ્હીવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

politics / ખેડૂત આંદોલન ચરમસીમા તરફ જઈ રહ્યું છે ત્યારે PM મોદીએ જણાવ્ય…

આ અંગે ગઈકાલે દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દિલ્હી સ્ટેટ ટેક્સી કોઓપરેટિવ સોસાયટી અને કોમી એકતા વેલ્ફેર એસોસિએશન પણ 8 ડિસેમ્બરે ભારત બંધમાં સમર્થન કરશે. સર્વોદય ડ્રાઇવર્સ એસોસિએશન, જેમાં મુખ્યત્વે ઓલા-ઉબેર ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, તે પણ ટેકો આપશે.

ભારત બંધ: ભારત બંધના એલાનને દક્ષીણ ગુજરાતના ખેડૂતોનું સમર્થન…

કઈ સેવાઓ પર મોટી અસર

કેટલાક બેંકિંગ યુનિયનો દ્વારા ખેડૂત આંદોલનને ટેકો મળતાં 8 ડિસેમ્બરે બેન્કિંગ સેવાઓ પર અસર થઈ શકે છે. આ યુનિયનોએ સરકારને વિનંતી કરી છે કે, જલ્દીથી ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન એ એક નિવેદનમાં કહ્યું છે કે, સરકારે આગળ આવવું જોઈએ અને ખેડૂતોની માંગ પૂરી કરવી જોઈએ. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર ક કોન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસએ સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરે.ભારતીય રાષ્ટ્રીય વેપાર સંઘ કોંગ્રેસ , ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિન્દ મજદુર સભા , ભારતીય વેપાર સંઘનું કેન્દ્ર , ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન, ખેડૂતોના સમર્થનમાં સંકલન કેન્દ્ર સામેલ છે.પંજાબના હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનએ કહ્યું છે કે, અગાઉ બુક કરાવેલ લગ્ન અને ભોજન સમારંભો સિવાયની તમામ હોટલો, રિસોર્ટ્સ અને બાર 8 ડિસેમ્બરે બંધ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…