Not Set/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનું પાત્ર શું આ અભિનેત્રી નિભાવશે?

વ્યાંકા ત્રિપાઠી દહિયાને સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાબેનની ભૂમિકાની ઓફર કરવામાં આવી

Entertainment
Untitled 263 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનું પાત્ર શું આ અભિનેત્રી નિભાવશે?

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો અનુપમાને આજે સૌથી લોકપ્રિય સિરિયલ માનવામાં આવે છે. પરંતુ પહેલાથી આવું ન હતી. એક સમય એવો હતો જ્યારે ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ ટીઆરપી મામલે ટોપ પર હતી જેમાં મુખ્ય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને ઘરે ઘરે લોકપ્રિયતા મળી. દિવ્યાંકા આ દિવસોમાં કેપટાઉનમાં છે અને તેના આગામી શો માટે શૂટિંગ કરી રહી છે.

આ દરમિયાન દિવ્યાંકા સાથે જોડાયેલી એક રસપ્રદ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાબેનની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. જો કે તેમણે આ ઓફર નામંજૂર કરી હતી. જોકે આ વિશે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી અને દિવ્યાંકા જ આ સમાચારની પુષ્ટિ કરશે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દિશા વાકાણીના શોમાં પાછા ફરવા અંગે ઘણી વાતો સતત કહેવામાં આવી રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીનું પાત્ર આ શોના સૌથી સફળ અને પ્રખ્યાત પાત્ર છે. દિશા વાકાણી શોમાં દયાબેનનું પાત્ર ભજવી રહી હતી, જેની બોલવાની શૈલી રમૂજી અભિવ્યક્તિઓથી તે ખુબ જ લોક્પીર્ય થઇ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી વિશે વાત કરવામાં આવે તો તે આજકાલ આવનારી રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી સીઝન 11 ના શૂટિંગમાં વ્યસ્ત છે. દિવ્યાંકા શોમાં કેવું કામ કરશે તે તો સમય સાથે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તેના શોમાં આવવાની સાથે જ આ શોની ડીમાંડ અને લોકપ્રિયતા બંનેમાં વધારો થયો છે.