પીએમ મોદી આજે પ્રથમ વખત માલદીવના પ્રવાસ પર જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીહના સપથ વિધિમાં શામેલ થવાના છે.
વડાપ્રધાન બન્યા પછી મોદીની આ પ્રથમ યાત્રા હશે.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન માલદીવની મુલાકાતે જઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ પીએમ મોદીએ નવા રાષ્ટ્રપતિને અભિનંદન પણ આપ્યા હતા.
આ યાત્રા મામલે તેમણે કહ્યું છે કે માલદીવની મદદ કરવા તેમનાથી થઇ શકે તેટલી મદદ કરવા માટે તૈયાર છે.
આ યાત્રા મામલે ફ તેમણે ફેસબુકમાં પોસ્ટ કરી છે.
https://www.facebook.com/narendramodi/posts/10161144555125165
સપથવિધિ સમારોહ પછી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીહ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. સાંજના પીએમ મોદી ભારત પરત થઇ જશે.
