ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે .તો બીજી બાજુ આજરોજ આશ્રમ રોડ પર આવેલ સાકાર-7 ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર નહેરું બ્રિજ નજીક આવેલ સાકાર-7 નામની ઇમારતમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, આગને પગલે કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.