કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળ માટે ‘ડિજિટલ રેલી‘ યોજી હતી. આ દરમિયાન તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ મોદીજીની લોકપ્રિયતાનાં ડરથી આયુષ્માન ભારત યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ બંગાળમાં લાગુ થવા દીધી નહીં. ગૃહમંત્રીએ કહ્યુ કે, મમતા દીદીનાં આર્થિક ગેરવહીવટે બંગાળને ઘણો પાછળ ધકેલી દીધો છે.
Since 2014, over 100 BJP workers lost their lives in political battle here in West Bengal. I pay my respect to their families as they’ve contributed to development of Sonar Bangla: Union Home Minister & BJP leader Amit Shah at ‘West Bengal Jan-Samvad Rally’ via video conference pic.twitter.com/KYqtfjh08P
— ANI (@ANI) June 9, 2020
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, મમતા બેનર્જીએ રાજ્યનાં ગરીબોને આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવાની મંજૂરી આપી નથી. તેમને ડર છે કે તેનાથી મોદીજીની લોકપ્રિયતા વધશે. ગૃહમંત્રી અમિંત શાહે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ચૂંટણી બાદ જ્યારે ભાજપનાં મુખ્યમંત્રી શપથ લેશે, ત્યારબાદ એક મિનિટ પછી આયુષ્માન ભારત યોજના અહીં લાગુ કરવામાં આવશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યુ કે, CM મમતા બેનર્જી કોરોના સંકટ દરમિયાન પણ ભાજપનાં કાર્યકર્તાઓને સેવા કરતા અટકાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની વર્ચુઅલ રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સોનાર બંગાળ માટે પશ્ચિમ બંગાળની જનતા આગળ આવે. તેમણે કહ્યું કે, મોદીજીએ આત્મનિર્ભર ભારત માટે હાકલ કરી છે. તમે બધાએ મોદીજીનાં નેતૃત્વમાં એક થવું જોઈએ અને એક આત્મનિર્ભર ભારત બનાવવું જોઈએ.
While democracy has strengthened its roots and has been consolidated in the entire country, West Bengal remains the only state where political violence is propagated: Union Home Minister Amit Shah at ‘West Bengal Jan-Samvad Rally’ via video conference pic.twitter.com/KiRt45rDjQ
— ANI (@ANI) June 9, 2020
અમિત શાહે કહ્યું, મમતા દીદી, હું તો હિસાબ લઇને આવ્યો છું, કાલે તમે તમારા 10 વર્ષનાં ખાતાનો હિસાબ આપી દો. ધ્યાનથી હિસાબ આપજો, બોમ્બ વિસ્ફોટોની સંખ્યા ન બતાવી દેતા, બંધ કારખાનાઓની સંખ્યા ન બતાવી દેતા, ભાજપનાં માર્યા ગયેલા કાર્યકર્તાઓનો હિસાબ ન બતાવી દેતા. હિસાબ બતાવવો છે તો વિકાસને લઇને આવો મમતા દીદી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.