કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તે અફવાઓને ખોટી ગણાવી છે જેમા કહેવામાં આવી રહ્યુ છે હતુ કે, તેઓ બિમાર છે. અમિત શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ્સ પર પોતાનુ એક નિવેદન જારી કરતા કહ્યુ છે કે તે એકદમ સ્વાસ્થ્ય છે. પોતાના નિવેદનમાં અમિત શાહે જણાવ્યું કે, કોરોના વાયરસ જેવી મહામારીનાં સમયે તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત છે અને તે જ કારણે ઘમા દિવસોથી ચાલી રહેલી આ અફવાઓ પર ધ્યાન ન આપી શક્યા. તેમણે કહ્યું કે, જે લોકોએ આ પ્રકારની અફવાઓ ફેલાવી મારા મનમાં તેમના માટે કોઇ દ્વેશ નથી.
અમિત શાહે ‘મારા સ્વાસ્થ્યની ચિંતા કરનારા બધાને મારો સંદેશ‘ શીર્ષક સાથે નિવેદન આપતા કહ્યું હતું કે, ‘છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા મારા સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો કરી હતી. ઘણા લોકોએ મારા મોત માટે ટ્વિટ કરી દુઆ માંગી છે. દેશ હાલમાં કોરોના જેવા વૈશ્વિક રોગચાળા સામે લડી રહ્યો છે અને દેશનાં ગૃહ પ્રધાન તરીકે મોડી રાત સુધી મારા કાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે મેં આ બધા તરફ ધ્યાન આપ્યું નહીં.
मेरे स्वास्थ्य की चिंता करने वाले सभी लोगों को मेरा संदेश। pic.twitter.com/F72Xtoqmg9
— Amit Shah (@AmitShah) May 9, 2020