નાસિકના લાસલગાંવ માર્કેટમાં ડુંગળીનો ભાવ 35 ટકા ગગડી ગયો છે. તેનું કારણ છે ગઇકાલે આ માર્કેટના મોટા વેપારીઓને ત્યાં થયેલા આઈટી દરોડા આયકર વિભાગની ટીમે ૭ મોટા વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા.
લાસલગાંવ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીમાં ડુંગળીના અચાનક જ ભાવ ઘટી ગયાં હતાં .માર્કેટનો કુલ 30 ટકા માલ ખરીદી લેવાની આ સાત વેપારીઓની સક્ષમતા હતી.
35 ટેકા જેવો ભાવ ઘટતાં ખેડૂતોએ લીલામી રોકી દીધી છે. કારણ કે 1400 રુપિયે ક્વિન્ટલનો ભાવ સડસડાટ 900 રુપિયા થઇ ગયો છે. ખેડૂતો માલ પાછો લઇ ગયાં હતાં.
ઓગસ્ટ સુધીમાં 2,450 રુપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ થઇ ગયો હતો. આ સ્થિતિમાં આઈટીના દરોડા પડ્યાં હતાં.