આણંદની વિશ્વ પ્રખ્યાત અમુલ ડેરીનાં નિયામક મંડળ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજ્યમાં જ્યારે હાલ તમામ સહકારી ક્ષેત્રમા ચૂંટણીની હવા ફૂંકાઇ રહી છે, ત્યારે અમુલ ડેરીનાં નિયામક મંડળની ચૂંટણી પણ નજીકનાં દિવસોમાં જ યોજાશે. અમુલ ડેરીનાં નિયામક મંડળની ચૂંટણીની તારીખો આવી ગઇ છે અને આગામી માસમાં અમુલ ડેરીનાં નિયામક મંડળની ચૂંટણીઓ યોજવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે.
ભારતમાં સફેદ ક્રાંતીનાં વાહક સમી પ્રખ્યાત અમુલ ડેરીનાં નિયામક મંડળની 12 બેઠકોની ચૂંટણી આગામી મહિનાની 29 ઓગસ્ટે યોજાશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં આણંદ, ખેડા, મહિસાગરનાં સભ્ય દ્વારા મતદાન કરાશે. જિલ્લાનાં 1214 દૂધ મંડળીનાં નિયત કરેલ સભ્ય દ્વારા મતદાન કરાશે. આ ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે. ચૂંટણી-મતદાનની સમગ્ર પ્રક્રિયા અમુલ ડેરીમાં જ યોજવાની જાહેરાત કરી દેવામા આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….