મુંબઇઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વન્ડે અને ત્રણ ટી20 મુકાબલામાટે આજે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદગીકાર જ્યારે ટીમની પસંગદી માટે બેઠશે ત્યારે તે નક્કી માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીને બન્ને ફોર્મેટની કેપ્ટનશીપ પણ શોપી દેવામાં આવી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ વન્ડે અને ટી 20 ફોર્મેટમાથી કેપ્ટનશીપ છોડતી વખતે જણાવ્યું હતુ કે, ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટનની જરૂર છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં જેવી રીતે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં પ્રદર્શન કર્યું હતું તે જોતા ધોની ઉપર સારા પરફોર્મન્સનું દબાણ વધી ગયું હતું.