કોરોના રોગચાળા વિરુદ્ધ ભારતીય વાયુ સેના સીમાથી લઇને દેશની અંદર દરેક મોરચા પર લડી રહી છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ એક ઇન્ટરવ્યૂમાં સરહદ પર તૈયારીઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાલાકોટ જેવા હવાઈ હુમલાની તૈયારીઓ 24 કલાક રહે છે, પરંતુ આપણે આ પગલાં ભરવાનું છે કે નહીં તે દુશ્મન પર નિર્ભર છે. પાકિસ્તાનને ડરવું પડશે. અમે ક્યારે કાર્યવાહી કરીશું તે અમે નિર્ણય લઈશું. જ્યાં સુધી તેઓ આતંકવાદ ફેલાવવાનું બંધ ન કરે ત્યાં સુધી તેમને ચિંતા કરવાની રહેશે કે અમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ.
Whenever there’s a terrorist attack on our soil,they should be worried&they were rightly worried.They’ve to stop abetting terrorism in India if they’ve to get out of these worries: Indian Air Force Chief when asked about Pak fearing retaliation from India after Handwara encounter pic.twitter.com/TgBKCtVISO
— ANI (@ANI) May 18, 2020