આજે સમગ્ર દેશ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે એક ઉત્સવ છે જે ભાઈ-બહેનને સ્નેહ સાથે જોડે છે. આ તહેવાર ભાઈ-બહેનના અવિરત પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, બહેનો ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્યની ઇચ્છા કામના કરે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ સાથે બહેનોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. ત્યારે આજે આ ખાસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ વિડીયો શેર કરી શુભેચ્છા પાઠવી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું- ‘કરું વચન જ મારું કવચ છે.’ રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
“मेरा वचन ही मेरा कवच है”
रक्षा बंधन के पावन पर्व की हार्दिक शुभकामनाएं।#HappyRakshaBandhan pic.twitter.com/aNz2tIkk4y
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 3, 2020