જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં નાની ઘંસારી ગામેથી માઠા સમાચાર આવી રહ્યા છે. નાની ઘંસારી ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જી હા, કેશોદના નાના એવા ગામ નાની ઘંસારીમાં ઇલેકટ્રીક મોટર પિતા-પુત્રનો કાળ બની છે. ઇલેકટ્રીક મોટરનુ સ્ટાર્ટર રીપેર કરતા સમયે આ દુખદ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે.
ખેડુત તથા તેમના શિક્ષક પુત્રનું ઇલેકટ્રીક મોટરનું સ્ટાર્ટર રીપેર કરતા મોત નીપજતા સમગ્ર પંથકમાં માતમનો માહોલ છવાયેલો જોવામાં આવી રહ્યો છે. ઘટના બનતા જ સ્થાનિકો દ્વારા 108ની મદદ લેવામાં આવી હતી અને 108 ટીમ દ્વારા પિતા-પુત્રને કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ફરજ પરનાં ડોકટરે બન્ને ને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા ઘટનાની નોંધ કરી પિતા-પુત્ર બન્નેના મૃતદેહને પીએમ માટે મોકલાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….