દેશમાં ચાલી રહેલા ચાઈનીઝ બનાવટ ની ચીજવસ્તુઓનું બહિષ્કાર કરવાના મુદ્દાને કારણે નાનામોટા વેપારીઓમાં તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. મોબાઈલ એસેસરીઝથી લઈને ઈલકટ્રીક આઇટમોમાં મોટા ભાગની વસ્તુઓ ચાઈનાથી આવતી હોય છે. અને તેનું વેચાણ અમદાવાદ સહીત અનેક શહેરોમાં થતું હોય છે. આમ, જો આગામી દિવસો દરમિયાન ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરાશે તો તેની વ્યાપક પ્રમાણમાં અસરો જોવા મળી શકે છે.
70 દિવસ બાદ અમદાવાદમાં લોક ડાઉન કેટલીક શરતો ની સાથે ખુલતા નાના મોટા વેપારીઓને પોતાના ધંધા વેપાર કરવાની છૂટ મળી છે. જેના કારણે બે મહિના થી બંદ પડેલા વેપારને એક નવો વેગ મળતા તેમને એક મોટી રાહત મળી છે. પરંતુ, મોબાઇલ ઉદ્યોગોમાં મોટા ભાગે તમામ એસેસરીઝ ની વસ્તુઓ ચાઇનાથી આવતી હોવાથી તેની કિંમતમાં ૪૦% થી ૫૦ % સુધીનો વધારો થયો છે. તેના કારણે તેમના રોજના વેપાર ઉપર તેની ભારે અસર પડી રહી છે.
ચાઇનાની એક એપ્લીકેશન છે જેનું નામ ટિકટોક છે. જેનું યુવા પેઢીના લોકો સોથી વધારે ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદના એક યુવાને ચાઇનીઝ ટિક ટોક એપ્લીકેશન પર પર્તિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.
રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.