લગભગ છેલ્લા 6 મહિનાથી દેશ કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યો છે. કોવિડ -19 ને કારણે થિયેટરો બંધ કરવામાં આવ્યા હતા. ઘણી ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયું હતું. હવે રાહતની વાત છે કે આ મહિનાની 15 મી તારીખથી થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. જોકે, ફક્ત 50 ટકા સીટો જ બુક કરાશે, પરંતુ અત્યારે બધાના મગજમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોરોના યુગમાં થિયેટરમાં રિલીઝ થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ હશે.
મળતી માહિતી મુજબ, કિયારા અડવાણીની ફિલ્મ ‘ઈંદુ કી જવાની’ કોરોના યુગમાં થિયેટરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ બની શકે છે. આગામી સમયમાં અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ અને રણવીર સિંહની ’83’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
કોમેડી ફિલ્મ ઈન્દુ કી જવાનીથી, બંગાળી લેખક-ફિલ્મ નિર્માતા અબીર સેનગુપ્તા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શક તરીકે પગ મૂકી રહ્યા છે. તેમાં આદિત્ય સીલ અને મલ્લિકા દુઆ પણ છે.
કિયારા ‘ભુલ ભુલૈયા 2’ માં પણ જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શન છે. તે 2007 માં રિલીઝ થયેલી ‘ભુલ ભુલાયૈયા’ ની સિક્વલ છે, જે 1993 માં મૂળ મલયાલમ ફિલ્મ ‘મણિચિત્રાથજુ’ની ઓફિશિયલ રિમેક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.