વિસ્તારવાદ અને આડોળાઇને વરેલું ચીન વિશ્વભરમાં પોતાની અવડચંડાઇ માટે પ્રખ્યાત છે અને હાલ LAC પર જે સ્થિતિનુ સર્જન થયુ છે તેમાં ચીનની વરવી ભૂમીકા છે. જી હા, આ વાત ભારત કે ભારતનું પત્રકાર જગત નથી કહી રહ્યું બલકે વૈશ્વિક મીડિયા કહી રહ્યું છે. વૈશ્વિક મીડિયા ભારતની તરફેણમાં છે તે કહેવુ જરા અજુગતું લાગશે, કારણ કે તરફેણ તો ખોટા સાચાની આશંકા હોય ત્યારે જ કરવી પડે છે. આહીં વૈશ્વિક મીડિયાએ નિર્ભીક અને તટસ્થ વલણ અપનાવ્યું હોવાનું વ્યાજબી ગણાય.
કાણાને કાણો કહેવાનુું કામ સમાજનાં ચોથા સ્થંભનું છે અને વિશ્વ માધ્યમોએ પોતાની તે ફરજ અહીં બેખોફ રીતે અદા કરી હોવાનું જોવામાં આવે છે. જી હા, તાઈવાન ટાઈમ્સ દ્વારા આ મામલે જોરદાર નિરૂપણ કરવામાં આવ્યું છે. તાઈવાન ટાઈમ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતના રામની ડ્રેગન પર ચઢાઈ. સાથે સાથે જો વિશ્વ પ્રસિદ્ધ વોશિંગ્ટન એક્ઝામિનર લખાણ આ મામલે વાંચવામાં આવે તો અતી વેધક લખાણ પ્રસિદ્ધ કરી વોશિંગ્ટન એક્ઝામિનરે નિર્ભીકતાનું પ્રતિક રજૂ કર્યું છે. ‘ચીને ઉશ્કેર્યો રાષ્ટ્રવાદી સિંહને’ આ શિર્ષક જ બધું કહી જાય છે. જો કે, દૂનિયાનાં અનેક દેશોનાં માધ્યમોએ એટલે કે વૈશ્વિક મીડિયાએ બને દેશોને શાંતિની અપીલ કરી છે. અને બંને દેશો વાતચીતથી આ મામલાનો ઉકેલ લાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….