રાજકોટ શહેરમાં વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોનાનુ સંક્રમણ હદ બહાર જોવામાં આવી રહ્યું છે. રાજકોટનાં વધતા સંક્રમણ મામલે ગાંધીનગરથી પણ તંત્રના પદાધિકારીઓને CM નુ તેડુ આવી ગયુ છે. ત્યારે તંત્ર પણ હવે બેદરકારી નહી ચલાવી લેવાય તેવા મુડમાં જોવામાં આવી રહ્યું છે. અને રાજકોટ મનપા કોરોનાનાં ફેલાવાને આટકાવવા માટે કડક કાર્યવાહી હાથઘરવામાં આવી રહી છે.
જી હા, રાજકોટમાં ચા ની બે હોટેલ સીલ કરવામાં આવી છે. ફૂલછાબ ચોક સ્થિત ખોડિયાર હોટેલ સીલ કરી દેવામાં આવી છે તો સાથે સાથે રૈયા ચોક સ્થિત કિસ્મત હોટેલ પણ સીલ કરાઈ છે. લોકોની ભીડ એકઠી થતી હોવાથી આ કડક કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે રાજકોટવાસીઓને પણ ચેતીને ચાલવાની જરુર છે કારણ કે કોરોના ચાલ્યો ગયો નથી અને કોરોનાનો કહેર આજે પણ ગુજરાતમાં યથાવત નોંધવામાં આવી રહ્યો છે.