અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબેએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
પ્રાસંગિક સંબોધનમાં પીએમ આબેએ નમસ્કાર કહીને શરૂઆત અને ધન્યવાદથી વિરામ લીધો હતો. જાપાનના જ અને ઈન્ડિયાન યથી જય બનાવીને જય ઈન્ડિયા અને જય જાપાન બનાવી બુલેટ ટ્રેનનો વિકાસ કરવાની અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ બનાવવાની પીએમ આબેએ વાત કરી હતી.
જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને દેશ માટે એક નવો યુગનો પ્રાંરભ તેમજ બુલેટ ટ્રેન ભારતના વિકાસની નવી દિશા બનશે અને સુદ્રઢ પાયો નખાશે એમ જણાવ્યું હતું. વધુમાં જણાવતા તેઓએ કહ્યું, મારે તમને બધાને પણ અભિનંદન આપવા છે. વિશ્વના એક નેતાને જાપાનના પ્રધાનમંત્રી અને પરમ મિત્રને, મારા અંગત મિત્રને સ્વાગત બદલ બાધનું આભાર માનું છું. તેમજ ૨૦૨૨-૨૩માં શિંન્ઝો સાથે બેસીને બુલેટ ટ્રેનમાં અમે યાત્રા કરીને ઉદઘાટન કરીશું એવું સપનું સેવ્યું હતું.