હાઇકોર્ટના આદેશ બાદ આરૂષિ- હેમરાજ મર્ડર કેસમાં ચાર સાલની સજા કાપી રહેલા તલવાર દંપતીને મુક્ત કરવામાં આવશે.જેલમાં 1417 દિવસમાં તલવાર દંપતીએ જેલમાં 99 હજાર રૂપિયાની કમાણી કરી હતી.જે કેદી અને પ્રશાસનને દાન સ્વરૂપે આપશે.જેલમાં રહેવા છતાં પણ રાજેશ તલવાર મુરાદનગર ની આઇટીએસ હોસ્પિટલના સહયોગથી તૈયાર કરેલી ડેન્ટલ ક્લિનિકમાં પૂરો સમય આપ્યો હતો. આ દરમિયાન રાજેશ તલવારે જેલ ઓફિસર અને કેદીઓના દાંતની સારવાર કરી હતી. તેમજ નૂપૂર તલવારે બાળક અને અભણ મહિલાઓને શિક્ષા આપવા માટે સમય વિતાવ્યો હતો.અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પ્રમાણે તેમને શરતો સાથે જેલમાંથી છોડવામાં આવી રહ્યા છે. CBI કોર્ટનો આદેશ રદ કરીને તેમને શંકાનો ફાયદો આપીને હાઈકોર્ટે કહ્યું છે કે, તેમના પર અન્ય કોઈ કેસ ન હોય તો જ તેમને જેલમાંથી છોડવામાં આવશે. છૂટતા પહેલા તેમણે આઈપીસી સેક્શન 437એના નિયમોનું પણ પાલન કરવું પડશે.
Not Set/ જુઓ તલવાર દંપતીએ જેલમાં કેટલા રૂપિયાની કમાણી કરી
હાઇકોર્ટના આદેશ બાદ આરૂષિ- હેમરાજ મર્ડર કેસમાં ચાર સાલની સજા કાપી રહેલા તલવાર દંપતીને મુક્ત કરવામાં આવશે.જેલમાં 1417 દિવસમાં તલવાર દંપતીએ જેલમાં 99 હજાર રૂપિયાની કમાણી કરી હતી.જે કેદી અને પ્રશાસનને દાન સ્વરૂપે આપશે.જેલમાં રહેવા છતાં પણ રાજેશ તલવાર મુરાદનગર ની આઇટીએસ હોસ્પિટલના સહયોગથી તૈયાર કરેલી ડેન્ટલ ક્લિનિકમાં પૂરો સમય આપ્યો હતો. આ દરમિયાન રાજેશ […]
![જુઓ તલવાર દંપતીએ જેલમાં કેટલા રૂપિયાની કમાણી કરી 1 26 11 2013 25arushi2 જુઓ તલવાર દંપતીએ જેલમાં કેટલા રૂપિયાની કમાણી કરી](https://mantavyanews.com/wp-content/uploads/2017/10/26_11_2013-25arushi2.jpg)