અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો એનસીબીએ વિરોધ કર્યો છે.
એનસીબીએ સોમવારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે રિયા અને શૌવિક “સેલિબ્રિટીઝ અને ડ્રગ્સના વેપારીઓ સાથે સંકળાયેલા ડ્રગ્સની ખરીદ-ફરોખ્તને વધારવા અને નાણાંકીય સહાય પહોંચાડી.
સોગંદનામામાં જણાવાયું છે કે તેથી જ એજન્સીએ તેમની વિરુદ્ધ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) ની કડક કલમ 27 એ હેઠળ કેસ નોંધ્યો છે.
છેલ્લી સુનાવણી દરમિયાન, રિયા અને તેના ભાઈએ આ કેસમાં ઉપરોક્ત કલમ લાદવાનો વિરોધ કર્યો હતો. તેમના વકીલ સતીષ માનશીંદે ગયા અઠવાડિયે દલીલ કરી હતી કે આ કેસમાં આ કલમ લાદવામાં આવી શકાય નહીં,કેમ કે રિયા ભાગ્યે જ ડ્રગ્સ ખરીદતી, જેનું સેવન તેના બોયફ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું.
માનશીંદે કહ્યું હતું કે આ મામલામાં એનસીબી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 59 ગ્રામ ડ્રગ્સ મળી આવી છે. માદક દ્રવ્યોનો વેપાર ચાલતો હતો તે માનવા માટે આ જથ્થો પૂરતો નથી.
રિયાએ સુશાંતને કેમ છોડ્યો?
રિયાના વકીલે જણાવ્યું હતું કે રિયા સુશાંતના સંપર્કમાં કેવી રીતે આવી, તે બંને કેવી રીતે સાથે રહ્યા, રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હતી પરંતુ રિયા 8 જૂન બાદથી રિયા અને સુશાંત વચ્ચે કોઈ સંપર્ક નહોતો કારણ કે રિયા 8 જૂને તેના ઘરેથી નીકળી ગઈ હતી.
તેમણે કહ્યું કે જ્યારે રિયા સુશાંત સાથે હતી ત્યારે સુશાંત ડ્રગ્સ લેતો હતો અને ડોક્ટરોએ પણ સુશાંતને દવા લેવાનું કહ્યું હતું. પરંતુ સુશાંત સતત ડ્રગ્સ લેતો રહ્યો અને આ સુશાંત અને રિયા વચ્ચેની લડાઇ હતી, ત્યારબાદ રિયા ઘરેથી નીકળી ગઈ અને રિયાએ સુશાંતનો નંબર બ્લોક કર્યો.
રિયાના વકીલે કોર્ટને પણ કહ્યું કે આ કેસ એનસીબી સુધી કેવી રીતે પહોંચ્યો. ઇડીએ એનસીબીને કહ્યું હતું અને તે પછી એનસીબીએ તપાસ શરૂ કરી હતી અને તે જ તપાસમાં રિયાની પૂછપરછ કરવામાં આવી હતી અને રિયાની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.