દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને કોરોનાનાં લક્ષણો બાદ રાજધાની દિલ્હીનાં રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૈનને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આજે સાંજ સુધી કે કાલે સવારે આવે તેવી સંભાવના છે. જણાવી દઇએ કે, દિલ્હી કોરોનાનાં સૌથી પ્રભાવિત રાજ્યમાં શામેલ છે. અત્યાર સુધી અહીં કોરોનાનાં 42 હજારથી વધુ કેસ નોંધાયા છે.
Delhi’s Health Minister Satyendar Jain has been admitted to Rajiv Gandhi Super Speciality Hospital after he complained of high fever and difficulty in breathing. (file pic) pic.twitter.com/77EBj5XrVN
— ANI (@ANI) June 16, 2020