રાજકોટ,
C.M વિજય રૂપાણીની સામે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર અજાણ્યા સકશો દ્વારા હમલો કરવામાં આવ્યો છે, કનૈયા ચોક પાસે પોસ્ટર લાગવાની બાબતે દિવ્યનીલ રાજ્યગુરુ પર હુમલો થયો છે.હાલ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ત્યારે આ અજાણ્યા શકસો ભાજપના કાર્યકરો હોવાની ચર્ચા થઇ રહી છે,ઘટનાને પગલે શહેરમાં રાજકારણ ગરમાયું છે,કોંગ્રેસના કાર્યકરોના ટોળા હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. પોલીસ કર્મીઓ દ્વારા મહિલા અને મીડિયાકર્મીઓ પર હમલો કરાયાની માહિતી મળી રહી છે.
કોંગ્રેસના કાર્યકરતા વિજય રૂપાણીના ઘરની બહાર હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા હતા,આ ઘટના બાદ શહેરમાં સ્થિતિ વણસી શકે તેમ છે.