નવી દિલ્હીઃ ભારતના 68 મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીખે અબૂધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન આવ્યા છે. ત્યારે દુનિયાની સૌથી મોટી ઇમારતોમા જેની ગણના જાય છે તેવી દુબની બુર્જ ખલિફા ઇમારતને તીરંગના રંગે રંગાયેલી જોવા મળી હતી. બર્જ ખલીફાના ટ્વીટર અકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે, આજે રાત્રે અમે ભારતના 68 પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીશું.
અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ એચ.એચ. મોહમ્મદ બિન જાયદ આ વખતે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય ગેસ્ટ છે. તે ગઇકાલે જ ભારતમાં આવી ગયા હતા.