દેશમાં ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મોસમ વિભાગનું ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ચોમાસુ 5 જૂનથી કેરળમાં બેસશે. જો કે, મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, અનુમાનીત તારીખ કરતા ચોમાસુ 4-5 દિવસ મોડું અથવા વહેલું બેસી શકે છે. સમુદ્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ સારુ રહેવોનો અંદાજ જોવામાં આવીવ રહ્યો છે.
દેશમાં જ્યારે કુલ વસ્તિના લગભગ લગભગ 60 – 70 % લોકો ખેતી કે ખેતી પર નિર્ભર વ્યાવસાયો સાથે સંકળાયેલા હોય, ચોમાસા વિશેની આ જાહેરાતથી ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં પણ હર્ષ જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે સારો કહી શકાય તેવો વરસાદ પડવા છતા દેશનાં અનેક ભાગોમાં મોસમનાં પાક લોવામાં પારાવાર પરેશાની નોંઘવામાં આવી હતી. દેશનાં ઉત્તર-પૂર્વ ભાગમાં તો પૂરનાં કારણે હાહાકાર નોંધવામાં પણ આવ્યો હતો. ત્યારે મોસમ વિભાગ દ્વારા વરસાદનાં આગમનની તીથી આપવામાં આવતા આનંદની અનુભૂતી જોવામા આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….