અકસ્માતની ઘટનાઓમાં કોરોના પોઝિટીવ કેસની જેમ જ વધારો થઇ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરાજી પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી પેસેન્જર ઈકો કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદથી પોરબંદર રક્ષાબંધન કરવા જઈ રહેલા દંપતિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા.
આ મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદથી પોરબંદર જવાના રસ્તે અચાનક ધોરાજી પાસે ઈકો કાર પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પોરબંદર જઈ રહેલા એક દંપતિનું મોત ઘટનાસ્થળે જ નિપજ્યું છે જ્યારે કારમાં સવાર અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.