Not Set/ નવજોતસિંહ સિદ્ધુની પાર્ટી કોંગ્રેસમાં જોડાવવાની શક્યતાએ જોર પકડ્યુ

પંજાબમાં થનાર વિધાનસભાની ચુંટણીને લઇને નેતા નવજોતસિંહ સિદ્ધુની પાર્ટી કોંગ્રેસમાં જોડાવવાની શક્યતાએ જોર પકડ્યુ છે…સિદ્ધુએ પંજાબમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ બદલે સીધો દિલ્લી હાઇકમાનનો સંપર્ક કર્યો છે.એવી અફવા છે કે, સિદ્ધુ જલ્દી આવાઝ-એ-પંજાબ પાર્ટીનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી શકે છે. બીજી તરફી પંજાબ કૉંગ્રેસના નેતાઓ આ વાતનું ખંડન કરી રહ્યા છે. જો સિદ્ધુ કૉંગ્રેસમાં જોડાય છે તો […]

India

પંજાબમાં થનાર વિધાનસભાની ચુંટણીને લઇને નેતા નવજોતસિંહ સિદ્ધુની પાર્ટી કોંગ્રેસમાં જોડાવવાની શક્યતાએ જોર પકડ્યુ છે…સિદ્ધુએ પંજાબમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ બદલે સીધો દિલ્લી હાઇકમાનનો સંપર્ક કર્યો છે.એવી અફવા છે કે, સિદ્ધુ જલ્દી આવાઝ-એ-પંજાબ પાર્ટીનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી શકે છે. બીજી તરફી પંજાબ કૉંગ્રેસના નેતાઓ આ વાતનું ખંડન કરી રહ્યા છે. જો સિદ્ધુ કૉંગ્રેસમાં જોડાય છે તો તે આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો હશે.મહત્વનુ છે કે નવજોત સિંહ સિદ્ધુએ થોડા સમય પહેલાજ આવજ-એ-પંજાબ નામના પક્ષની રચના કરી હતી. આ પહેલા સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.