સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યુ છે, ત્યારે આવા સંકટનાં સમયે પણ પાકિસ્તાન તેની કરતૂતોને બંધ કરી રહ્યુ નથી. મળી રહેલી માહિતી અનુસાર, જમ્મુકાશ્મીરની કૃષ્ણા ઘાટી અને નૌશેરામાં પાકિસ્તાને સવારે લગભગ 3.30 વાગ્યે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ પછી, પાકિસ્તાને ફરીથી સવારે 5.30 વાગ્યે નૌશેરા સેક્ટરમાં ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જવાબ આપ્યો છે. હવે તાજા સમાચાર આવ્યા છે કે આ ફાયરિંગમાં એક ભારતીય સૈનિક શહીદ થયો છે.
“આજે સવારે 3.30 વાગ્યે પાકિસ્તાને પૂંછ જિલ્લાનાં કૃષ્ણઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક નાના હથિયારોથી ફાયરિંગ કરી મોર્ટાર ચલાવ્યાં હતાં. સવારે 5.30 વાગ્યે પાકિસ્તાને રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં અકારણ યુદ્ધવિરામ ઉલ્લંઘન શરૂ કર્યું હતું. જો કે તેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને ક્ષેત્રોમાં, “સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તા, કર્નલ આનંદ આઈએનએસ દ્વારા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.