પાટણમાં મોડીરાતે કોરોનાએ એક વ્યક્તિનો જીવ લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. પાટણ શહેરના સત્યમ નગરમાં રહેતા 58 વર્ષિય પુરૂષનું કોરોનાનાં કારણે મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે દર્દીને છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અંતે ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સામે લડતા લડતા સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું.
આજે નોંધવામાં આવેલ મોત પછી પાટણમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે થયેલા મોતનો આંડકો 22 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંક અત્યાર સુધીમાં 199 પર પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 112 દર્દીઓએ કોરોના સામેની લડાઇ જીતી અને સાજા થતા રજા અપાઈ છે. પાટણ જીલ્લામાં હાલ 65 કેસ કોરોના એક્ટિવ હોવાની આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ આપવામાં આવી રહી છે અને તમામ દર્દીઓ સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….