ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધુ એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. પાટણમાં વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નીપજ્યું છે.
આપને જણાવી દઈએ કે પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે 72 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. જણાવીએ કે વૃદ્ધના મૃતદેહને પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખીનીય છે કે આ 72 વર્ષીય વૃદ્ધના પરિવારજનો અને ડોક્ટરની ટીમ સાથે મળીને અંતિમવિધિ કરશે.રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે આજે પાટણ જીલ્લામાં કોરોનામાં 7 પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.