પાલનપુરમાંથી એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પાલનપુરમાં યુવકને સળગાવી હત્યા કરવામાં આવી છે અને સદરપુર-વેડચાની સિમમાંથી યુવકની લાશ મળી આવી છે. મળતી માહિતી મુજબ, પાલનપુરમાંથી તારથી બાંધી યુવકને સળગાવી દેવામાં આવ્યો હતો અને સીમમાંથી યુવકની લાશ મળી આવી છે. ત્યારબાદ તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમા ખસેડાયો છે. આ ઉપરાંત પાલનપુર તાલુકા પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઈસમો વિરુધ હત્યાનો ગુન્હો દાખલ કરેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.